મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન


SHARE













મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીના ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જયારે મોરબીના રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શ્રોતાઓને લાભ લેવા માટે આયોજકોએ જાહેર આમંત્રણ આપેલ છે.

મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ કથાનું તા 8 થી 14 સુધી આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ સવારે 9:00 થી 11:30 અને બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી કથા ચાલશે અને આ કથામાં વ્યાસપીઠ ઉપરથી વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. અને કથા દરમ્યાન જુદાજુદા ધાર્મિક પ્રસંગોને પણ ઉજવવામાં આવશે. અને કથાના આયોજકોએ પ્રસાદની પણ વ્યવસ્થા કરેલ છે. અને વધુમાં વધુ લોકોને કથાનો લાભ લેવા મતયે આયોજકોએ અનુરોધ કરેલ છે.

શિવ મહાપુરાણ કથાનું આયોજન

મોરબીમાં સતધામ પરિવાર દ્વારા તા. 9થી 15 સુધી રાતે 8:30 થી 11:00 વાગ્યા સુધી રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે. આ તકે સ્વામી પ્રેમ પ્રકાશદાસજી, મહંત દામજીભગત, ભાણદેવજી મહારાજ વિગેરે હાજર રહેશે. અને આ કથાની પોથીયાત્રા તા 9 ના રોજ સાંજે 7:30 વાગ્યે નાથાભાઈ છગનભાઈ બાવરવાના નિવાસ સ્થાન હરિવિલા ઉમિયાનગર સોસાયટી ઉમિયા સર્કલ પાસેથી નીકળશે. આ કથામાં શિવ પ્રાગટય, શંકર-પાર્વતી વિવાહ અને ગણપતિ પ્રાગટય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. જેથી કરીને મોરબીના લોકોને કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News