વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત


SHARE













મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત

મોરબીને રેલવે ટ્રેનની વધુ સુવિધા આપવામાં આવે તેના માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સુવિધા વધારવામાં આવતી નથી તેવામાં પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયા દ્વારા કચ્છ- મોરબી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો બની ગયો તેને વર્ષો થઈ ગયેલ છે તો પણ મોરબી જિલ્લાને લાંબા અંતરની ગાંધીધામ મોરબી, કામ્ખીયા ભુજ, મોરબી બાંદ્રા વિકલી સિવાય કોઈ જ ટ્રેન આપવામાં આવી નથી ત્યારે મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ડેઇલી ભુજ, મોરબી, અમદાવાદ જે હાલમાં વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે અને મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ ગાંધીધામ, મોરબી, કામ્ખીયાના ફેરા વધારી સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News