ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ


SHARE













મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તેના માટે જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે ત્યારે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે

મોરબીમાં પાંજરાપોળ આવેલ છે જેમાં અંધ, અપંગ, નિરાધાર, પશુને રાખવામા આવે છે અને તેનો નિભાવ કરવામાં આવે છે આજની તારીખે મોરબી પાંજરાપોળમાં ૫૩૨૦ પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને ઉદ્યોગકારો સહિતના લોકો તરફથી કુલ નહિ તો ફુલની પાંખડી સમાન દાન આપવામાં આવે છે ત્યારે કાલે મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે લોકોને મોરબી પાંજરાપોળમાં દાન આપવા માટે અપીલ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં જુદી-જુદી ૩૮ જગ્યાએ સ્ટોલ રાખવામા આવેલ છે ત્યાં જઈને લોકો દાન આપી શકે છે. અને વધુમાં મોરબી પાંજરાપોળના સંચાલકોએ જણાવ્યુ હતું કે, મોરબીના લોકો પાસેથી જ દાન લઈને પાંજરાપોળનો વહીવટ કરવામાં આવે છે બીજા શહેરમાં ફાળો કે દાન લેવા માટે કોઈ જતું નથી. 






Latest News