મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE













મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ ફેનીલભાઈ ઓઝા, અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને છ જેટલા વિપ્ર એડવોકેટની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓમાં મોરબીના એડવોકેટ ફેનિલભાઈ ઓઝા, ભરતભાઈ રાવલ, ચેતનભાઇ દવે, નીતાબેન ત્રિવેદી, યતિનભાઈ દવે, ઉમેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોને નોટરી તરીકે નિમવામાં આવ્યા હોય બ્રહ્મ સમાજના જુના નોટરી બી.કે. ભટ્ટ, રાજેશભાઈ જોશી અને મનીષભાઈ જોશી સહિતનાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય વકીલ મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.તે ઉપરાંત વધુમાં મળતી માહિતી પ્રમાણે એડવોકેટ અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર, જાગૃતીબેન ભીંડોરા અને જયંતીભાઈ સેવરા સહિતના અન્ય એડવોકેટ મિત્રોની પણ નોટરી તરીકે હાલ વરણી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ હજુ વધુ નોટરીઓની નિંમણૂક થાય તેવા અણસાર મળી રહ્યા છે.






Latest News