માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવાન અને તેના પિતા સાથે માળીયા ખાતે મીઠાનો વેપાર ધંધો કરતો હતો તે વેપાર ધંધો બંધ થઈ ગયો હતો અને જે ચાલુ કરવા માટે મહેનત કરવા છતાં પણ તેમાં સફળતા મળતી ન હતી જેથી યુવાને પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તે યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં આવેલ જેઠા ગલીમાં રહેતા ઉમંગભાઇ નિરંજનભાઈ લખતરિયા (41)પોતે પોતાની જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન સારવારમાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પત્ની જલ્પાબેન ઉમંગભાઇ લખતરિયા (41) રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન તેના પિતા સાથે માળિયા ખાતે મીઠાનો વેપાર ધંધો કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી તે મીઠાનો ધંધો બંધ થઈ જતા ધંધો ચાલુ કરવા માટે થઈને મૃતક યુવાન મહેનત કરતો હતો પરંતુ ધંધો ચાલુ થતો ન હતો જે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે તા. 31/1 ના રોજ સાંજના સમયે પોતે પોતાની જાતે ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું ગઈકાલે મોત નીપજયું છે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News