મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકીને લઈ જતાં સગીર સહિતના બે વ્યક્તિને પકડીને ગામના લોકોએ પોલીસ હવાલે કર્યા​​​​​​​ 


SHARE













મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકીને લઈ જતાં સગીર સહિતના બે વ્યક્તિને પકડીને ગામના લોકોએ પોલીસ હવાલે કર્યા 

મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકી જતાં બે વ્યક્તિને ગામના લોકો દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેની ગામના લોકોએ પૂછપરછ કરી હતી ત્યારે તે બંને અગાઉ ત્રણ ગાયોને હાંકી ગયા હોવાનું કબૂલ્યું હતું જેથી કરીને ગામના લોકોએ આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે પૈકીનો એક વ્યક્તિ સગીર હોય તેની પૂછપરછ કરીને તેને તેના વાલીને હવાલે કરવામાં આવેલ છે અને આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા માલધારીઓએ ચરાવવા માટે થઈને આપેલી ગાયોમાંથી મોટી સંખ્યામાં ગાયોની કતલ કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી અને ત્યારબાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક આમ કુલ મળીને ત્રણ ફરિયાદો નોંધાઈ હતી તેવામાં મોરબી તાલુકાના અમરનગર ગામે બે વ્યક્તિ ગાયોને હાંકી જતા હતા ત્યારે ગામના લોકો દ્વારા તે બંનેને પકડવામાં આવ્યા હતા અને તેની આગવી ઢબે ગામના લોકોપૂછપરછ કરી હતી ત્યારે અગાઉ ત્રણ ગાયોને પકડાયેલા બે વ્યક્તિ હાકી ગયા હોવાનું તેમણે ગામના લોકોની સમક્ષ કબુલ કયું હતું અને બીજી વખત તેઓ ગાયોને હાંકી જવા માટે થઈને આવેલ હતા ત્યારે ગામના લોકોએ તેને પકડીને પોલીસને આ અંગેની જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોએ પકડેલા બે વ્યક્તિને સાથે લઈ ગઈ હતી અને પૂછપરછ દરમિયાન બે પૈકીનો એક વ્યક્તિ સગીર હોવાનું સામે આવતા તેની પૂછપરછ કરીને તેને તેના વાલી હવાલે સોંપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે, આ બનાવ સંદર્ભે હજુ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મકનસર પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા પરમાર મુકેશભાઈ ડાયાભાઈ (45) નામના યુવાને જીઆઇડીસી પાસે આવેલ શીતળા માતાના મંદિર નજીક ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News