મોરબીના લાયન્સનગરમાં આવેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ ઉજવાયો
મોરબીના નીચી માંડલ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના નીચી માંડલ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ નોકેન રીટ્રીફાઇડ સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અંશુકુમાર રામનંદન પ્રજાપતિ (19) નામનો યુવાન નીચીમાંડલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને કૈલાશભાઈ પ્રજાપતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.