મોરબીના નીચી માંડલ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત
SHARE
મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત
ઓડીસાથી મોરબી આવી રહેલ યુવાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તે યુવાનનું બસમાં જ મૃત્યુ નીપજયું હતું જેથી આ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના સોનપુર પાઉચકુલી બાલેશ્વરના રહેવાસી રતિકાંત મધુસુદન ભદ્રા (38) નામનો યુવાન બાલેશ્વર ઓડીસાથી મોરબી ખાતે રાજલક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં બેસીને આવી રહ્યો હતો દરમ્યાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે બસ પહોંચી હતી ત્યારે કોઈપણ કારણોસર ચાલુ બસમાં જ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર રાધાલ્લભ ભરતચંદ્ર રાઉલ (28) રહે. ઓડીસા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે