ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ


SHARE













મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ

મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોની અવાર જવર વધુ રહે છે ત્યારે મુસાફરોની સગવડ માટે ભુજ રાજકોટ ઈન્ટરસીટી ટ્રેન અથવા ડેમ ટ્રેન ચાલુ કરવાની માંગ મોરબીમાં રહેતા આગેવાને કરેલ છે.

મોરબીમાં રહેતા રમેશ બી. રબારીએ હાલમાં રાજકોટ રેલ્વે રેન્જ વિભાગના ડી આર.એમ.ને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ભુજ-રાજકોટ સ્પેશીયલ ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે. જે ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે થાય છે, તેમજ આ ટ્રેન ટાઈમ ટેબલ વેપારી વર્ગ, નોકરીયાત વર્ગને અનુકુળ આવે તેમ નથી. જેથી કરીને આ ટ્રેનને ટ્રાફીક મળવો મુશ્કેલ રહેશે. આજ ટ્રેન અગાઉ ચાલુ હતી ત્યારે આ ટ્રેનને ટ્રાફીક મળેલ હતો નહી કારણ કે તેનો ટાઈમ ટેબલ યોગ્ય ન હતો. જો આ ટ્રેનનો ટાઈમ મોરબીથી રાજકોટ ઉપડવાનો સવારે ૮ થી ૯ વાગ્યાનો રાખવામાં આવે તો નોકરીયાતમ, વેપારી અને વિદ્યાર્થીઓને અનુકુળ આવે તેમ છે. તેમજ રાજકોટથી ટ્રેનનો સમય સાંજે ૬થી ૭ વાગ્યાનો રાખવામા આવે તો લોકોને લાભ મળે તેમ છે. અને આ ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે છે જે સામાન્ય માણસને પરવડે તેમ નથી જેથી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. અને સિરામિક સહિતના ઉદ્યોગનું હિત ધ્યાને રાખીને લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવી જોઈએ. તેવી પણ માંગ કરેલ છે.






Latest News