મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ


SHARE















મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ

મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોની અવાર જવર વધુ રહે છે ત્યારે મુસાફરોની સગવડ માટે ભુજ રાજકોટ ઈન્ટરસીટી ટ્રેન અથવા ડેમ ટ્રેન ચાલુ કરવાની માંગ મોરબીમાં રહેતા આગેવાને કરેલ છે.

મોરબીમાં રહેતા રમેશ બી. રબારીએ હાલમાં રાજકોટ રેલ્વે રેન્જ વિભાગના ડી આર.એમ.ને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ભુજ-રાજકોટ સ્પેશીયલ ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે. જે ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે થાય છે, તેમજ આ ટ્રેન ટાઈમ ટેબલ વેપારી વર્ગ, નોકરીયાત વર્ગને અનુકુળ આવે તેમ નથી. જેથી કરીને આ ટ્રેનને ટ્રાફીક મળવો મુશ્કેલ રહેશે. આજ ટ્રેન અગાઉ ચાલુ હતી ત્યારે આ ટ્રેનને ટ્રાફીક મળેલ હતો નહી કારણ કે તેનો ટાઈમ ટેબલ યોગ્ય ન હતો. જો આ ટ્રેનનો ટાઈમ મોરબીથી રાજકોટ ઉપડવાનો સવારે ૮ થી ૯ વાગ્યાનો રાખવામાં આવે તો નોકરીયાતમ, વેપારી અને વિદ્યાર્થીઓને અનુકુળ આવે તેમ છે. તેમજ રાજકોટથી ટ્રેનનો સમય સાંજે ૬થી ૭ વાગ્યાનો રાખવામા આવે તો લોકોને લાભ મળે તેમ છે. અને આ ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે છે જે સામાન્ય માણસને પરવડે તેમ નથી જેથી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. અને સિરામિક સહિતના ઉદ્યોગનું હિત ધ્યાને રાખીને લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવી જોઈએ. તેવી પણ માંગ કરેલ છે.






Latest News