મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

નર્મદાની કેનાલ માટે ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસીવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો: મોરબીના ધારાસભ્યની અધિકારીઓને સ્પષ્ટ વાત


SHARE











નર્મદાની કેનાલ માટે ખેડૂતો કે આગેવાનો ફોન કરે તે રિસીવ ન કરવા હોય તો રાજીનામાં મૂકી દો: મોરબીના ધારાસભ્યની અધિકારીઓને સ્પષ્ટ વાત

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલોને રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવેલ છે જો કે, ખરીફ પાક માટે ખેડૂતોને ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવે છે પરંતુ કેનાલના કામ અધૂરા છે જેથી કેનાલમાંથી પાણી મળશે કે કેમ તે સવાલ હતો જેથી આજે ધારાસભ્યની આગેવાનીમાં મોરબીના સર્કિટ હાઉસ ખાતે નર્મદા નિગમના અધિકારીઓને સાથે રાખીને ખેડૂતોની હાજરીમાં મીટીંગ યોજાઇ હતી જેમાં નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના લીધે કામમાં વિલંબ થઈ રહ્યો છે, અધિકારીઓ ફોનનો ઉપાડતા અને ભ્રષ્ટાચાર કરે છે તેવા ગંભીર ક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે જેમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલનો સમાવેશ થાય છે આ ત્રણેય કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેમાંથી હળવદ, મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હોય છે અને તેના થકી ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક લઈ શકતા હોય છે દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતો દ્વારા પાકનું આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે જોકે આ વખતે નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી ક્યારે છોડવામાં આવશે તે પ્રશ્ન હતો કારણ કે ગત માર્ચ મહિનાથી આ ત્રણેય કેનાલોની અંદર નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું છે અને કેનાલના રીપેરીંગ કામ માટે થઈને નર્મદાનું પાણી બંધ કરાયું છે જોકે અધિકારીઓની બેદરકારી તેમજ કોન્ટ્રાક્ટરની ડાંડાઈના લીધે મોટા ભાગની કામગીરી આજની તારીખે અધૂરી છે.

જેથી નર્મદાની કેનાલમાં આ વર્ષે ચોમાસા પહેલા પાણી છૂટશે કે કેમ તે પ્રશ્ન હતો માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની હેઠળ નર્મદા નિગમ સૌરાષ્ટ્ર શાખા નહેરના અધિક્ષક ઇજનેર નીતિનભાઈ પટેલ તેમજ અધિકારીઓની હાજરીમાં ત્રણે તાલુકાના ખેડૂત આગેવાનોને મોરબીના સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં ખેડૂતોના નર્મદાની કેનાલને લગતા જે વિવિધ પ્રશ્નો હતા તેની રજૂઆતો સાંભળવામાં આવી હતી આ ઉપરાંત કેટલાક ખેડૂતોના કેનાલને લગતા વ્યક્તિગત પ્રશ્નો પણ હતા જેનો પણ ઉકેલ લાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ખેડૂતોએ નર્મદાનાં અધિકારીઓએ ઉપર એવા ગંભીર ક્ષેપો કર્યા હતા કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, પાણી વેચવામાં આવે છે એટ્લે જ તો છેવાડા સુધી પાણી પહોંચતું નથી, અધિકારીઓ ખેડૂતો આગેવાનોના ફોન રિસીવ કરતા નથી.

જેથી ધારાસભ્ય કાંતિભાઈએ કહ્યું હતું કે, અધિકારીખેડૂત આગેવાનોના ફોન ન ઉપાડવા હોય તો રાજીનામાં મૂકી દે, કેમ કે, ખેડૂતોને કેનાલમાં કયારે પાણી આવશે કયારે કામ પૂરું કરવામાં આવશે વિગેરે જેવી માહિતી અધિકારી પાસેથી જોઈતી હોય છે અને તેના આધારે તે પોતાની ખેતીમાં પાકનું વાવેતર કરવા માટેનું આયોજન કરવતા હોય છે. હાલમાં કેનાલ રિપેરિંગની જે કામગીરી ચાલે છે તેના ઉપર દેખરેખ રાખવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનોની ત્રણેઉ કેનાલ માટે એક-એક કમિટીની રચના કરવામાં આવી છે અને જો કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હશે તો કામ બંધ કરાવવા માટે ધારાસભ્ય દ્વારા ખેડૂત આગેવાનોને કહેવામા આવ્યું છે તેમજ આ મિટિંગમાં આગામી 31 મે થી નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી છોડવા માટેનો નિર્ણય કરવામા આવેલ છે.

અધિકારીઓએ સામેના આક્ષેપોના પુરાવા આપશે તો કાર્યવાહી કરાશે: આધિક્ષક ઇજનેર

મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં જે મિટિંગ મળી હતી તેમાં ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓએ ઉપર ગંભરી આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી કરીને આ બાબતે સૌરાષ્ટ્ર શાખા નહેર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર નીતિનભાઈ પટેલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતો અને તેમના આગેવાનોના ફોન રિસીવ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વારંવાર ફોન ન ઊપડતાં હોવાની ફરિયાદ આવશે તો તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે પરંતુ કોઈ પુરાવ આપવામાં આવશે તે દિશામાં પણ એક્શન લેવામાં આવશે.






Latest News