મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત


SHARE













મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત

મોરબી નજીકના જુના નાગડાવાસ ગામની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાંથી તળાવમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાના કારણે છેલ્લા ત્રણેક દિવસમાં તળાવમાં અસંખ્ય માછલાંના મોત થયા તેવું હાલમાં ગ્રામજનો જણાવી રહ્યા છે. અને ગામના તળાવને પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાથી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે.

મોરબીના જુના નાગડાવાસ ગામના લોકોની પાસેથી મળતી માહિતી મુજબ ગાળા અને ગુગણ ગામ વચ્ચે સીરામીક અને પેપરમિલના કારખાના બની ગયેલ છે અને તે કારખાનામાથી કાળું કેમિકલ વાળું પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું જ વરસાદના પાણી સાથે ગામના તળાવમાં આવી રહ્યું છે જેથી છેલ્લા ત્રણ દિવસમાં જુના નગડવાસ ગામના તળાવમાં અસંખ્ય માછલાના મોત થયા છે અને તળાવનું પાણી પણ પ્રદુષિત થઈ ગયું છે. જેથી તે પાણી પશુ પંખીઓને પણ પીવામાં ચાલે તેવું રહ્યું નથી. માટે આ પાણીના સેમ્પલ લઈને પ્રદૂષણ વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.






Latest News