મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી પરિણીતાઆપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં કોર્ટે આધાર પુરાવાઓ અને સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને મૃતક મહિલાના પતિને 10 વર્ષની સજા ફટકારી છે અને સાસુ, નણંદ અને દિયરને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો આડેધ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ ગત તા. 27/5/18 ના રોજ મોરબીમાં રોહીદાસપરા પાસે આવેલ  ભીમરાવનગરમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) વાળાએ તેના બનેવી ધર્મેન્દ્ર ઉર્ફે મથુરદાસ પોપટ, સાસુ રંજનબેન પોપટ, નણંદ ચાંદની અને દિયર રાહુલ પોપટ રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેઓના બહેન લલીતાબેને ધર્મેન્દ્ર પોપટ સાથે લગ્ન કર્યા હતા અને સંતાન ન થતું હોવાથી તેને મેણાટોણા મારી સાસરિયાઓ હેરાન કરતાં હતા જેથી લલીતાબેને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો જે કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષે 9 સાહેદો તપાસી તેમજ સરકાર પક્ષે 23 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને પત્નીને મારવા માટે મજબૂર કરવાના ગુનામાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ મળીને 20 હજારનો દંડ કર્યો હતો. તેમજ આ કેસમાં મૃતક મહિલાના સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, નણંદ ચાંદનીબેન મથુરાદાસ પોપટ અને દિયર રાહુલ મથુરદાસ પોપટને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.






Latest News