વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત


SHARE







મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્ર દિપકસિંહ જ્યોતિસિંહ જાડેજા (ઉંમર ૪૦) રહે.વૃષભનગર સામાકાંઠે મોરબી-૨ ને આજરોજ તા.૯-૮ ના વહેલી સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેક સબબ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મૂળ ખાનપુર ગામના અને હાલ મોરબી સામાકાંઠે વૃષભનગરમાં રહેતા ભાજપ આગેવાન તથા રાજપૂત સમાજના સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રના રક્ષાબંધન જેવા સપરમાં દાડે અકાળે અવસાનથી શોક વ્યાપી ગયો હતો.તા.૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ મોરબી-૨ ખાતે તેમનું બેસણું રાખવામાં આવેલ છે.






Latest News