ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત


SHARE













મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્ર દિપકસિંહ જ્યોતિસિંહ જાડેજા (ઉંમર ૪૦) રહે.વૃષભનગર સામાકાંઠે મોરબી-૨ ને આજરોજ તા.૯-૮ ના વહેલી સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેક સબબ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મૂળ ખાનપુર ગામના અને હાલ મોરબી સામાકાંઠે વૃષભનગરમાં રહેતા ભાજપ આગેવાન તથા રાજપૂત સમાજના સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રના રક્ષાબંધન જેવા સપરમાં દાડે અકાળે અવસાનથી શોક વ્યાપી ગયો હતો.તા.૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ મોરબી-૨ ખાતે તેમનું બેસણું રાખવામાં આવેલ છે.






Latest News