મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર


SHARE













મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર

મોરબીમાં યુવાને આપઘાત કર્યો હતો જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પત્રકાર સહિત 11 સામે ગુનો નોંધાયો હતો જે ચકચારી આપઘાત કેસમાં પત્રકાર ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન આગોતરા જામીન મંજુર કર્યા છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી બી. ડીવીઝન,આ ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે, તેનો ભાઈ નિલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પીને આપઘાત કર્યો છે અને તેની પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી હતી જેમાં 11 શખસોના નામ હતા જેના આધારે સ્યૂસાઇટ નોટની ખરાઈ કરાવ્યા પછી ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વ્યાજના પૈસા માટે દબાણ કરતાં હોવાથી આપઘાત કર્યો છે તેવી ફરિયાદ નોંધાઈ હતી. જે 11 પૈકીનાં અરજદાર/ આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબીના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા તથા એડવોકેટ મહાવીરસિંહ એ. જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને મોરબીના સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબે આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાના 50 હજારના શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કર્યા છે.






Latest News