તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામ પાસે ૨૦થી વધુ કુંજ પક્ષીના મોત


SHARE











મોરબીના ચાંચાપર ગામ પાસે ૨૦થી વધુ કુંજ પક્ષીના મોત

મોરબીના ચાંચાપર ગામના સીમ વિસ્તારની અંદર લગભગ ૨૦થી વધુ કુંજ પક્ષીઓના મોત નિપજ્યા હતા જે બનાવની ગામના લોકોને જાણ થતાની સાથે જ આ બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે પક્ષીઓના મોત થયા છે તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં દર વખતે શિયાળા દરમિયાન બહારના પક્ષીઓ જુદા જુદા વિસ્તારમાં આવતા હોય છે. દરમિયાન જો વાત કરીએ મોરબી તાલુકાના ચાચાપર ગામની તો ચાચાપર ગામના સીમ વિસ્તારની અંદર ૨૦થી વધુ કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા જે અંગેની ગામના લોકો દ્વારા ગામના સરપંચના પતિ રમેશભાઈ ભીમાણીને જાણ કરવામાં આવતા રમેશભાઈ ભીમાણી તથા ગામના આગેવાનો સહિતના લોકો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને મૃતક પક્ષીઓના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News