મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ
SHARE
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ
હાલમાં લીલાપર ગામથી બોરીયાપાટી બજરંગ સર્કલ સુધી કેનાલની બીજી બાજુએ નવો રોડ બનાવવાનું કામ ચાલુ છે.જેમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી.જેથી સ્થાનીક લોકોએ મહાપાલીકાના કમીશ્નરને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.
બોરીયા પાટી નજીક રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારે રજૂઆતમાં જણાવ્યું છેકે, આ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં વરસાદી પાણી આવે છે.જે અત્યાર સુધી કેનાલ મારફતે નિકાલ થઈ જતો હતો.પરંતુ હવે જ્યારે નવો રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.ત્યારે આવનાર ચોમાસાની ઋતુમાં આ વરસાદી પાણીનો નિકાલ કેનાલ મારફતે થઈ શકશે નહી. અને હાલમાં જે નવો રોડ બનાવવાનો ચાલુ છે.તેમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં નથી આવતી ! તો આવા સંજોગોમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય એમ છે.જેથી લોક સુખાકારી માટે તેઓએ વિનંતી કરેલ છેકે આ લીલાપર કેનાલ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે.જેથી કરીને ભવિષ્યમાં આ વિસ્તાર માં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય.