મોરબીની એલઇ કોલેજના વિદ્યાર્થીઓએ સીડીએસ બિપિન રાવત સહિત ૧૩ શહિદોને આપી શ્રધ્ધાંજલી
SHARE
મોરબીની એલઇ કોલેજના વિદ્યાર્થીઓએ સીડીએસ બિપિન રાવત સહિત ૧૩ શહિદોને આપી શ્રધ્ધાંજલી
પશ્ચિમી સંસ્કૃતિની પાછળ આંધળી દોટ દોડનાર યુવાવર્ગને પ્રેરણા આપતો કાર્યકમ મોરબીની એલઇ કોલેજમાં યોજાયો હતો. જે અંતર્ગત તા.૮ ડીસેમ્બર ૨૦૨૧ ના રોજની ગોજારી હેલીકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા જવાનોને ભાવાંજલી આપવાની ભાવના સાથે ભારત માતાના વીર સપૂતોને વિનમ્ર શ્રધ્ધાંજલી અર્પવાનો કાર્યકમ યોજાયો હતો.
મોરબીની જૂની અને જાણીતી સંસ્થા એવી લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ (ડિપ્લોમા ) ના પ્રાંગણમાં સંસ્થાના મિકેનિકલ વિભાગના સેમ-૬ ના લહેરૂ રીતેષ, પટેલ જયમિન, હડિયલ દિવ્યેશ, રાજગોર સૌરભ, વૈષ્ણવ કેયૂર, મકાસના ઓમનિષ, યાદવ રાકેશ સાથે મળી સંસ્થાની જીમખાના ટિમના સભ્યો અને વ્યાખ્યાનના રાજદીપસિંહ ચાવડા, આશિતા પરિખ, યોગેશ સતાપરા, હાર્દિક ચનિયારા દ્વારા આચર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત સહિતના ૧૩ જવાનોની યાદમાં આ કાર્યકમ યોજવામાં આવેલો હતો.જેમાં સીડીએસ જનરલ બિપિન રાવતના જીવન આધારિત ડોક્યુમેન્ટરી તેમજ સર્વે શહિદ જવાનોના પરિવાર વિષેની માહીતી બતાવવામાં આવેલી હતી.આ કાર્યકમનો ઉદેશ પશ્ચિમી અનુકરણ કરી રહેલા યુવાવર્ગને આપણા દેશના સાચા હિરો એવા દેશના વીર જવાનોની શહીદીનો પરિચય આપી તેમનામાં દેશદાઝની ભાવનાને ઉન્નત કરવાનો હતો.