મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ


SHARE











મોરબીના મકનસર ગામે મકનમાથી ૯૫ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, આ એકની શોધખોળ

મોરબી તાલુકાના મકનસર (ભક્તિનગર-૨)  ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાથી વિદેશીદારૂની ૯૫ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૧,૯૫૦ ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઇ આગલ તથા દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની સૂચનાથી હકીકત વાળી જગ્યા મકનસર ગામે આવેલ ભક્તિનગર -૨ માં અશોકભાઇ બાબુભાઇ ખાંભલા જાતે કોળી (૨૭ ના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાથી ૯૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૧,૯૫૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપીના કહેવા પ્રમાણે જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા રહે. મકનસર વાળાએ તેને આ દારૂનો જથ્થો છુપાવવા માટે આપ્યો હતો જેથી કરીને પોલીસે આપેલ હાલમાં અશોકભાઇ બાબુભાઇ ખાંભલાની ધરપકડ કરેલ છે અને જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી નરવિરસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગઢડા તથા જયેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે . 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News