મોરબીના કલેક્ટરે વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી: જિલ્લાના લોકોને રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં જોડાવા અપીલ મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં તાણ - આંચકી અને હાર્ટ એટેકથી બે યુવાનોના મોત મોરબીના જનતા કલાસીસમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સિધ્ધી: એડમિશન ઓપન મોરબીમાં સ્નેપચેટથી સંપર્કમાં આવેલ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી, ન્યુડ ફોટો વાઇરલ કરવાની ધમકી : ગુનો નોંધાવાતા તપાસ શરૂ હળવદના ગોલાસણ ગામે ઘરમાં જુગાર રમતા બે મહિલા સહિત 6 પકડાયા ટંકારાના સજનપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને સસરા-પુત્રવધૂને એક શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મહિલાને દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી, ઘરમાં ઘૂસીને માલ સમાનમાં કરી તોડફોડ
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ નર્મદા ધ્રાંગધ્રા  બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થાય છે અને ખેડૂતોના ખેતરમાં પાણી આવી જાય છે જેથી ખેડૂતોને નુકશાન થાય છે માટે કેનાલ રીપેર કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D-27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થતા નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં મોટું નુકશાન થયેલ છે. જો કે આ પરિસ્થિતિ છેલ્લા ચારેક વર્ષથી થઈ રહી છે. અને અવારનવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્રના બહેરા કાનોને ખેડૂતોની વેદના સંભળાતી નથી અને અધિકારીને વેદના સમજાતી નથી. જેથી માયનોર કેનાલ રિપેર કરી ન હોવાથી મોંઘા ભાવના પાણીનો મોટા પાયે બગાડ થાય છે. અને ખેડૂતોને નુકશાન થાય છે તેમ છતાં કોઈ જવાબદાર અધિકારીઓને આ કામ કેમ દેખાતું નથી તે મોટો પ્રશ્ન છે. હાલમાં ખેડૂતોને અધિકારીને બેદરકારીના લીધે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે અને સાથોસાથ કેનાલનું રિપેરિંગ કામ પણ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. અને જો કામ કરવામાં નહીં આવે તો ના છુટકે સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે અને કાનૂની રહે વળતર મેળવવા કોર્ટેનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News