મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે કાકા-ભત્રીજા ની હત્યા કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવેલ હતી જેથી નાના એવા ગામ અને ટંકારા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ટંકારના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (48)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેઓની વાડીની બાજુમાં મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ છે અને તેઓની વાડીએ જમીન માપણી કરવા માટે કર્મચારીઓ આવ્યા હતા અને માપણી પૂરી કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓને સ્થળ ઉપર બોલાવેલ હતા ત્યારે તેઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને જમીન માપણી બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ફરિયાદીના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના દીકરા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (22)ને બંને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી ફરિયાદીના ભાઈ અને દીકરાનું મોત નીપજયું હતું ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરની ઘટનામાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. ઝાલા અને તેઓની ટીમ દ્વારા ડબલ મર્ડરની આ ઘટનામાં બંને આરોપીઓ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની ધરપકડ કરેલ છે અને ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર તથા બાઈકને કબજે કરવા માટેની તજવીજ ચાલી રહી છે. તેની માહિતી સમીર સારડાએ પત્રકાર પરિષદમાં આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક જયપાલસિંહ ઝાલા હાલમાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા અને તેઓની તથા તેના ભત્રીજાની છરીના ઘા ઝીકિને તેઓની જ વાડીએ હત્યા કરવામાં આવેલ હતી જેથી બનાવ સમયે ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું જેથી કરીને ટંકારા પોલીસ દ્વારા ગામની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો






Latest News