મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ મોરબીમાં શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી સંપન્ન તું અમને જોઈતી નથી, તને રાખવી નથી કહીને મોરબીમાં મહિલાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી: પતિ સહિત 5 સામે ફરિયાદ મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે રાહદારી યુવાનોને સારવારમાં ખસેડાયા હળવદના કવાડીયા ગામે કામ ધંધો કરવા માટે પિતાએ ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત ટંકારાના નેકનામ ગામે વાડીએ પરિણીતાએ જીવન ટુકાવ્યું: મોરબીના કેરાળા ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો: 1.09 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે


SHARE







મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે

મોરબી જિલ્લાના સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને નિયામક, મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૮/૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે “UPSC/ GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે કારકિર્દી વિષયક માર્ગદર્શન સેમિનારયોજાનાર છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ શિવ હોલ ખાતે મેગા કરિયર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું ચ જેમાં જિલ્લા રોજગાર કચેરીના વિષય નિષ્ણાત કર્મચારીઓ અને કેરિયર કાઉન્સિલર્સ દ્વારા દેશ અને રાજ્ય સ્તરની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, અભ્યાસક્રમની સમજ અને પરીક્ષા પાસ કરવાની વ્યૂહરચના વિશે વિસ્તૃત તેમજ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.મોરબી જિલ્લાના તમામ ઈચ્છુક યુવા ઉમેદવારોને નિયત તારીખે અને સમયે આ સેમિનારમાં અચૂક ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ અગાઉ રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાની નામ નોંધણી નથી કરાવી તેઓ પણ આ માર્ગદર્શન શિબિરમાં પ્રત્યક્ષ હાજર રહીને સેવાનો નિઃશુલ્ક લાભ મેળવી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News