ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા
SHARE
ગુજરાત ભાજપની અનુશાસન સમિતિના અધ્યક્ષ બન્યા સાંસદ મોહનભાઇ કુંડારીયા
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અનુશાસન સમિતિની રચના કરવામાં આવે છે અને આ અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવેલ છે જેથી ચોમેરથી મોહનભાઈને ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ તેઓના ટેકેદારો તરફથી શુભકામનાઓ મળી રહી છે
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને જુદા જુદા સેલ, સંગઠન અને મોરચાની અંદર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર અનુશાસન (શિસ્ત) સમિતિની રચના કરવામાં આવેલ છે જે અનુશાસન સમિતિના અધ્યક્ષ તરીકે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવેલ છે તેમજ આ સમિતિમાં સભ્ય તરીકે પુષ્પદાનભાઈ ગઢવી, કનુભાઈ માવાણી, ભરતભાઈ બારોટ અને શ્રીમતી જયાબેન ઠક્કરને લેવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોહનભાઈ કુંડારીયા સહિતના નવા હોદ્દેદારોને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ તરફથી શુભકામનાઓ મળી ગઈ છે