મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ


SHARE













ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રમુખે કહ્યું હતુ કે, વર્તમાન સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખની સહાય ચૂકવશે

આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે જ વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહેશભાઇ રાજ્યગુરુ, ધર્મેન્દ્રભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખે કહ્યું હતું કે, સરકાર કોરોનામાં અવસાન પામેલા લોકોના આંકડા સાચા આપતી નથી એક બાજુ મોરબી જીલ્લામાં ૮૭ જ કોરોનાના મોત બતાવે છે અને બીજી બાજુ આજ સુધીમાં ૬૦૦ થી વધુ લોકોને સહાય ચૂકવવામાં આવી છે આમાં જોતાં મોરબી જીલ્લામાં કોરોનામાં લગભગ ૫૦૦૦ જેટલા લોકોના મોત થયા છે તેવું કહિતે તેઓએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ સુધીની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે






Latest News