મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ


SHARE















ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રમુખે કહ્યું હતુ કે, વર્તમાન સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખની સહાય ચૂકવશે

આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે જ વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહેશભાઇ રાજ્યગુરુ, ધર્મેન્દ્રભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખે કહ્યું હતું કે, સરકાર કોરોનામાં અવસાન પામેલા લોકોના આંકડા સાચા આપતી નથી એક બાજુ મોરબી જીલ્લામાં ૮૭ જ કોરોનાના મોત બતાવે છે અને બીજી બાજુ આજ સુધીમાં ૬૦૦ થી વધુ લોકોને સહાય ચૂકવવામાં આવી છે આમાં જોતાં મોરબી જીલ્લામાં કોરોનામાં લગભગ ૫૦૦૦ જેટલા લોકોના મોત થયા છે તેવું કહિતે તેઓએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ સુધીની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે






Latest News