મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા !
મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
SHARE
મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
મોરબીના રંગપર ગામે રહેતી પરણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાને મારવા માટે તેના પતિ, દિયર અને નણંદ દ્વારા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે મૃતક મહિલાના પતિ અને દિયરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
રાજકોટમાં આવેલ બાબરીયા કોલોની શેરી નંબર 1 માં રહેતા શક્તિસિંહ બચુભા જાડેજા (22) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા હર્ષાબા ઝાલા રહે. સુરેન્દ્રનગર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. બંને રંગપર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓના બહેન ભક્તિબાને તેના નણંદ હર્ષાબા ઝાલા, પતિ રાજદીપસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઝાલાએ લગ્ન બાદથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને હર્ષાબાની ચડામણીથી ફરિયાદીની બહેનના પતિ અને દિયર દ્વારા દારૂ પીને અસહ્ય માથાકૂટ કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો એટલૂ જ નહીં અવારનવાર ફરિયાદીની બહેનને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી જેથી ફરિયાદીના બહેન ભક્તિબાએ દુઃખ ત્રાસથી કંટાળીને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું અને આપઘાત કર્યો હતો જેથી પરિણીતાએ આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પોલીસે હાલમાં મૃતક મહિલાના પતિ રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (30) અને પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (25) રહે. બંને રંગપર વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
મોરબીમાં આવેલ સોઓરડીની પાછળના ભાગમાં મહાવીર પાર્કમાં રહેતા જીવરાજભાઈ સોલંકી (69) નામના વૃદ્ધ નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં બેભાન થઈ ગયેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી