મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો મોરબીના રફાળેશ્વર પાસે મેળાના મેદાન નજીક યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુનો આડેધડ મારમાર્યો વાંકાનેરની ભાટિયા સોસાયટીનો બનાવ: દીકરાના કૌટુંબિક સાળા સહિત ચાર શખ્સોએ દંપતીને મારમાર્યો વાંકાનેરની અમરસર ફાટકે બાઇક લઈને ઉભેલા આધેડના પગના પંજા ઉપરથી ક્રેન ચાલકે ટાયર ફેરવી દીધું
Breaking news
Morbi Today

મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં


SHARE













મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે વાડી વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવાને પોતાના મોરબી રહેતા કૌટુંબીક ભાઈને 'મારા પરિવારનું ધ્યાન રાખજો' એમ કહીને ફોન કર્યા બાદ ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા મહેશભાઈ અંબારામભાઈ સંઘાણી નામના ૪૬ વર્ષીય યુવાને વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા તેમજ રાઇટર મિલનભાઈએ પ્રાથમિક તપાસ કરતા ખુલ્યુ હતું કે મહેશભાઈ સંઘાણીએ તેમના મોરબી રહેતા કોઈ કૌટુંબિક ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે "મારા ઘરનું ધ્યાન રાખજો" એમ કહીને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને હાલ બેભાન હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવેલા છે અને હાલ તેઓ બેભાન બોય બનાવનું કારણ સામે આવેલ નથી.બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્રારા હળવદ પોલીસને જાણ કરવા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

જામકંડોરણા પાસેના ખજૂરડા ગામના ગીતાબેન વિજયભાઈ હાંસલિયા (ઉમર ૪૪) અને ભવ્ય વિજયભાઈ હાંસલિયા (ઉમર ૧૧) ને ભાયાવદરથી ઉપલેટા જતા સમયે બાઇકનો બોલેરો કાર સાથે વાહન અકસ્માતનો બનાવ બનતા તેમાં ઇજાઓ થવાથી સારવાર માટે માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.જયારે હળવદના આંબેડકરનગર વિસ્તારમાં રહેતો દેવ હસમુખભાઈ પરમાર નામનો ૧૧ વર્ષીય બાળક બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત દેવ પરમારને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.








Latest News