વાંકાનેરમાં તે અમારી સામે જોયુ જ કેમ કહીને વેપારી યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: ગુનો નોધાયો
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો
SHARE
મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા મહાપ્રસાદ યોજાયો
મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી સેવાકાર્ય મા સહયોગ આપવામા આવ્યો હતો. અને મોહનથાળ, ગાંઠીયા, રોટલી, દાળ, ભાત, શાક, છાશ સહીતની વાનગીઓ ઉપસ્થિત અગ્રણીઓએ પોતાના હસ્તે પિરસી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી. આ તકે મોરબી હેપ્પી રીટાયર્ડ ગૃપના હંસરાજભાઈ કૈલા, મહેશભાઈ ઠાકર, મગનભાઈ રાઠોડ, રમેશભાઈ સાદરીયા, નિમેષભાઈ અંતાણી, અશોકભાઈ મહેતા, ભરતભાઈ પંડ્યા, દીલીપભાઈ સાદરીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હેપ્પી રીટાયર્ડ ગૃપ દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાના સેવાયજ્ઞમા મળેલ સહયોગ બદલ મોરબી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ આભારની લાગણી સહ અભિનંદન પાઠવ્યા હતા.તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.