મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ
વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન
SHARE
વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન
(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં સમસ્ત કોળી માંધાતા ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રીજરાજદાન ગઢવી, ફરીદા મીર સહિતના કલાકારો આવવાના છે ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને લોક ડારો માણવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે
વાંકાનેરના હસનપર પાસે થાન રોડ ઉપર જાલી બસ સ્ટેન્ડ નજીક આવેલ ભગવાન માંધાતા તથા સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકડાયરાની અંદર પ્રખ્યાત લોકસાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી, પ્રખ્યાત લોક ગાયિકા ફરીદા મીર તેમજ પ્રખ્યાત લોકગાયક આદિત્યદાન ગઢવી પોતાના કલાના રસથી લોકોને તરબોળ કરવાના છે ત્યારે આ લોકડાયરાની અંદર ભજન અને સાહિત્યની મોજ માણવા માટે થઈને સમાજના લોકોને આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે