મોરબીના હડમતિયા ગામના સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની દિકરીઓ માટે કરી મોટી જાહેરાત
મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ
SHARE
મોરબી જિલ્લાના વાંકાનેરના સિંધાવદર પાસે દીપડાનો આતંક: બકરી, ગાય અને નીલગાયનું કર્યું મરણ
(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં દીપડો આંટા ફેરા કરે છે તેવા વિડીયો અગાઉ અનેક વખત વાઇરલ કરવામાં આવેલા છે અને અગાઉ જાલસિકા ગામમાં દીપડાએ બે અબોલ જીવનું મારણ કરેલ કર્યું હતું અને હાલમાં ફરી પાછા દીપડાએ દેખા દીધા છે અને વાંકાનેર તાલુકના સિંધાવદર ગામમાં દીપડાએ અબોલ જીવનું મારણ કરેલ છે અને ગામના લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સિંધાવદર ગામ નજીક આવેલ વાડી પાસે દીપડાએ બકરી, ગાય અને નીલગાયનું મરણ કરેલ છે અને અવાર નવાર દીપડો ત્યાં જોવા મળે છે જેથી કરીને સિંધવદર ગામના લોકો હાલમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે અને દોરેસ્ટ વિભાગના અધિકારીને દીપડાને પકડવા માટે રજૂઆત કરવામાં આવે તો પણ રખડતા દીપડાને પકડવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેથી લોકોમાં ભારે રોષની લાગણી છે