મોરબીના વાડી વિસ્તારમાં આવેલ શાળામાં મોદીની ‘‘પરીક્ષા પે ચર્ચા’’ કાર્યક્રમમાં મંત્રીએ ભાગ લીધો
SHARE
મોરબીના વાડી વિસ્તારમાં આવેલ શાળામાં મોદીની ‘‘પરીક્ષા પે ચર્ચા’’ કાર્યક્રમમાં મંત્રીએ ભાગ લીધો
મોરબીમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વોર્ડનં-૧૨ માં જકશીની વાડી ખાતે રૂપિયા ૩૮.૧૫ લાખના ખર્ચે બનાવવામાં આવનાર પેવરબ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું ત્યાર બાદ બાજુમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નં.૧ ની મુલાકાત લીધી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘પરીક્ષા પે ચર્ચા’’ કાર્યક્રમ અંતર્ગત ભાગ લીધો હતો આ મુલાકાત વેળાએ તેમણે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ કરી શાળાની સવલતો- જરૂરીયાતથી અવગત બન્યા હતાં. તેમણે શાળાના પ્રાંગણની સ્વચ્છતા, વિદ્યાર્થીઓની શિસ્તતા તેમજ શિક્ષકોની શિક્ષણ આપવાની તત્પરતાથી પ્રભાવિત થયા હતાં. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઇ દેસાઇ, દેવાભાઇ અવાડીયા, ગણેશભાઇ ડાભી, ભાવેશભાઇ કણઝારીયા, પુષ્પાબેન જાદવ, બ્રિજેશભાઇ કુંભારવાડીયા, ચુનીભાઇ પરમાર, કે.કે. પરમાર, સુરેશભાઇ સિરોહિયા, ચતુરભાઇ દેત્રોજા, માવજીભાઇ કણઝારીયા સહિતના હાજર રહ્યા હતા