મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ


SHARE













મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ

મોરબીની પંચાસર રોડ નિલકંઠ સર્કલ પાસે આવેલ માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના આર્થિક સહયોગથી ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ ભઠ્ઠીને કાર્યરત કરી દેવામાં આવી છે

મોરબીના માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કણજારીયા તેમજ મંત્રી વાલજીભાઈ પરમારે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે લાકડા આધારિત સ્મશાન ગૃહ ચાલુ છે જેમાં જુદાજુદા વાડી વિસ્તારની અંદર રહેતા લોકો તેમજ નાની વાવડી ગામ અને સનાલાના સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો અવસાન પામે તો તેની અંતિમક્રિયા માટે તેના સ્વજનો આવતા હોય છે જેથી કરીને આ સ્મશાન ગૃહ  ગેસભઠ્ઠી આધારિત થાય તેના માટે  સમાજનો આર્થિક સહયોગ લેવામાં આવેલ હતો અને કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને ગેસની ભઠ્ઠી મુકવા માટેના બાંધકામ પુરુ થતા તા. 21/6 થી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે સમાજના દાતાઓ તરફથી સહકાર હતો જેથી ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે






Latest News