મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત


SHARE













ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા યુવાને ગત મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં તેનું મોત નીપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને ગત મોડીરાત્રિના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને મોડી રાત્રે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ ગીરીશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું.જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતું અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સરદારબાગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એસી રીપેરીંગના કામકાજ માટે રાખવામાં આવેલા મજૂરને કામ ન હોય કામ ઉપરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.તે વાતને લઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી તે બનાવવામાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આરીફ અબ્દુલ મંગલિયા જાતે સંધિ (૩૨) ધંધો એસી રીપેરીંગ રહે.લાલપર તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.જયારે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે બાઈકમાં જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થવાથી અર્જુન સુરતભાઈ નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ રામજી ચોક પાસે રહેતા જયેશ રતિલાલ અદગામા જાતે કોળી નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબી સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હાલમાં કારખાનાઓ બંધ થઈ જતા કામધંધાના ટેન્શનમાં તેણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.








Latest News