મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો


SHARE













ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરી અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનાઓમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ટંકારાની લતીપર ચોકડી પાસેથી પકડીને ટંકારા પોલીસને સોંપ્યો હતો.

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને મળેલ બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ અને બાઇક ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે શોધખોળ કરવામાં આવી રહી હતી.તેવામાં નાસતો ફરતો આરોપી કૈલાશ પેનો વસુનીયા (ઉમર ૨૪) રહે.મોટા પાવગામ જિલ્લો દાહોદ વાળો ટંકારાની લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે બે વર્ષથી જુદાજુદા ચોરીના ગુના કરી નાસતો ફરતો આરોપી ત્યાંથી પકડી પડ્યો હતો અને આ આરોપીને હાલમાં ટંકારા પોલીસને હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઘવાયેલ દંપતી સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર વિસ્તારના વૈભવ હોમ્સમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ કલોલા (૫૭) અને તેમના પત્ની ત્રિવેણીબેન સુરેશભાઈ (૫૫) ને ફ્લેટ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા પોલીસ દ્વારા જઈને નિવેદન નોંધવામાં આવતા તેઓના એપાર્ટમેન્ટમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેઓને સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું.








Latest News