વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય


SHARE











વાંકાનેર કુવાડવા બેઠક ઉપર મહારાણા કેશરિદેવસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નહીં કરે: ક્ષત્રિય સમાજનો નિર્ણય

વાંકાનેર કુવાડવા બેઠક માટે વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ ભાજપ પક્ષ પાસે ટિકિટ માંગી હતી જોકે, ભાજપમાનથી વાંકાનેર કુવાડવા બેઠક ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હતી અને આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મટિંગ મળી હતી અને તેમાં સર્વાનુમતે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી નહીં કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલા આ ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે નહીં તેવી સંમતિ તેઓએ પણ સમાજના આગેવાનોને આપેલ છે

મોરબી જિલ્લાના ત્રણેય બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું જેથી કરીને મહારાણા કેશરિદેવસિંહ ઝાલાને ટિકિટ ન મળતા રાજપૂત સમાજમાં રોષની લાગણી હતી અને રાજપૂત સમાજના આગેવાનો આજે પરશુરામ સોસાયટી પાસે આવેલ સમાજની વાડીએ એકત્રિત થયા હતા અને ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ હાલમાં ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવી કે કેમ તેના માટેની સમાજના આગેવનો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ભાજપના પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પણ મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવી ન જોઈએ તેના માટે આગેવાનોને સમજાવ્યા હતા અને ત્યાર બાદ સમાજના આગેવાનોએ મહારાણા કેશરિદેવસિંહ ઝાલા સાથે વાત કરીને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર અપક્ષમાં ઉમેદવારી ન કરવા માટે કહ્યું હતું ત્યારે મહારાણા કેશરિદેવસિંહ ઝાલાએ પણ સમાજના આગેવાનોએ તેમનં હિતને ધ્યાને રાખીને જે નિર્ણય કરેલ છે તેમાં સંમતિ દર્શાવી હતી અને તેઓ ચુંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી નહિ કરે તેવું વાંકાનેર રાજપુત સમાજના મહામંત્રી રાજેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News