વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબી: નવી શિક્ષણ નીતિ મુજબ પહેલા ધોરણમાં પ્રવેશમાં છૂટછાટ આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી: નવી શિક્ષણ નીતિ મુજબ પહેલા ધોરણમાં પ્રવેશમાં છૂટછાટ આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

નવી શિક્ષણ નીતિમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટેના નવા નક્કી કરાયેલા નિયમ ભવિષ્યમાં બાળકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે જેથી કરીને તેમાં છૂટછાટ આપવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હાલમાં લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ નક્કી કરવામાં આવેલ છે જેમાં પહેલા ધોરણના પ્રવેશ માટે વય મર્યાદા ૬ વર્ષની કરવામાં આવેલ છે. જે પહેલા પાંચ વર્ષની હતી. અને આના માટે પ્રવેશ પાત્ર ઉપર માટે ની છેલ્લી તારીખ પહેલી જુને જ્ન્મેલા બાળકને તો પ્રવેશ મળશે પરંતુ બીજી જુને જન્મેલા બાળક ને એક વર્ષ પછી એટલે કે સાત વર્ષે પ્રવેશને લાયક ગણવામાં આવશે આવો નિયમ છે. એટલે કે એક દિવસ મોડું જન્મેલ બાળકને એક વર્ષ રાહ જોવી પડશે. માટે આવા નિયમમાં  ફેરફાર કરવાની માંગ કરેલ છે  

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, એક તો પહેલા જે પાંચ વર્ષની વય મર્યાદા હતી તેમાં એક વર્ષનો વધારો કરવામાં આવેલ છે. અને ઉપરથી નિયમ જડતાના કારણે એક દિવસ પાછળ જન્મેલા બાળકને વધારાના એક વર્ષ પછી પ્રવેશ મળશે. જેથી આ બાળકને પોતાની ભવિષ્યમાં દરેક જગ્યાએ એક વર્ષ પાછળ રહેવાનો વારો આવશે અને ખાસ કરીને સરકારી નોકરીમાં વય મર્યાદાઓ હોય છે. જેમાં આવા એક વર્ષ પછી પ્રવેશ મેળવનાર બાળકોને સરકારી નોકરીમાં ચાન્સ અન્ય બાળક કરતા ઓછો  મળવાના કારણે નોકરીથી વંચિત રહેવાનો વારો આવશે જેથી કરીને આવા જડ નિયમમાં ફેરફાર કરીને ઓછામાં ઓછા છ માસની છુટ આપવામાં આવે તેના માટે કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઆતો કરીને સકારાત્મક નિર્ણય  આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News