મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે માતાએ રોટલા ઘડવા-ઘરકામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત


SHARE











મોરબીના જોધપર ગામે માતાએ રોટલા ઘડવા-ઘરકામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત

મોરબી નજીકના જોધપર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની યુવતીને તેની માતાએ રોટલા ઘડવા બાબતે અને ઘરકામ માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવતીને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજયું હતું જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના જોધપર ગામે નિલેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઈ સમરાભાઈ ડામરાની દીકરી કિરણબેન (ઉંમર ૨૦) એ ગત તા. ૨૧/૧૨ ના રોજ વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થતા યુવતીને પ્રથમ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જો કે, ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, યુવતીને તેની માતાએ રોટલા ઘડવા અને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને મનોમન લાગી આવતા તે વાડીએ એકલી હતી ત્યારે ઝેરી દવા પી ગઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે






Latest News