ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા


SHARE













માળીયા (મી)ના સરવડ ગામે એક સાથે ૯ મકાનોમાં તસ્કરોના ધામા

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે એક કે બે નહીં પરંતુ નવ જેટલા બંધ મકાનોના તાળાં તોડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જો કે હજુ સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

માળીયા મિયાણાના સરવડ ગામે બંધ મકાનોના તાળા તસ્કરો દ્વારા તોડવામાં આવેલ છે અને એકી સાથે નવ મકાનમાં તાળાં તોડવામાં આવ્યા છે જો કે, તસ્કરોએ જે મકાનોને નિશાના બનાવેલ છે તે તમામ મકાન માલિકો હાલમાં મોરબીમાં રહે છે જેથી કરીને ચોરી કરવા માટે આવેલા શખ્સો શું ચોરી કરી ગયા છે અને કેટલાનો મુદામાલ ગયો છે તેની કોઈ માહિતી સામે આવી નથી જો કે, સરવડ ગામે એકીસાથે મકાનોના તાળાં તોડવામાં આવ્યા છે તેની માળીયા મિયાણાના પીએસઆઇને જાણ કરવામાં આવી હતી જેથી કરીને અધિકારી તેના સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા જો કે, આ સમાચાર લખાઈ  છે ત્યાં સુધી આ અંગેની કોઈ પોલીસ ફરિયાદ ચોપડે નોંધાયેલ નથી






Latest News