મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા


SHARE











મોરબી જિલ્લાના ગામોમાં વસતા લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવ્યા

મોરબી જિલ્લાના ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં વસતા વિચરતી જાતીના લોકોનું બિપરજોય વાવાઝોડાના કારણે સુરક્ષાના હેતુથી સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ટંકારા, જબલપુર, હરબટીયાળી, મીંતાણા, આર્યનગર વગેરે ગામમાં ટંકારા તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ અને મામલતદારશ્રીએ  સ્થળ પર જઈને એવા વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની વધુ અસર જણાય અથવા તો એવા ઘરોમાં રહેતા લોકો કે જેનું ઘર પતરાવાળું, કાચું, જર્જરીત કે જૂનુ છે, ઉપરાંત ખુલ્લામાં કે નિંચાણવાળા વિસ્તારમાં રહેતા વિચરતી જાતીના ૬૦-૭૦ પરિવારોની સલામતીને ધ્યાનમાં લઈને તેમને સ્થળાંતર માટે સમજવવામાં આવ્યા હતા. કુદરતી આફતના આ સમયે લોકો પોત-પોતાની જવાબદારી સમજીને વહેલી તકે સ્થળાંતર કરે અને પોતાનો કિંમતી સામાન પોતાની સાથે લઈ જાય તે માટે વહિવટીતંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ઉપરાંત ત્યાં ઉપસ્થિત લોકોને બાળકોનું ધ્યાન રાખવા તેમજ સગર્ભા બહેનો વિશે માહિતી મેળવી વધુમાં મેડિકલ વિશે જાણકારી આપી જરૂર જણાય તો તેઓને હેલ્પલાઈન નંબર પર કોલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.






Latest News