માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી પોલીસ કર્મચારી મૃત્યુ કેસ : તપાસને લઇને હાઇકોર્ટની નારાજગી છતાં ડીવાયએસપી-પીએસઆઇની હજી સુધી ધરપકડ કેમ નહીં..?


SHARE













મોરબી પોલીસ કર્મચારી મૃત્યુ કેસ : તપાસને લઇને હાઇકોર્ટની નારાજગી છતાં ડીવાયએસપી-પીએસઆઇની હજી સુધી ધરપકડ કેમ નહીં..?

મોરબીના વતની અને જુનાગઢ ખાતે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશભાઈ લાવડીયાએ ઉપરી અધિકારીઓ દ્વારા માર મારવામાં આવતા અને ધમકીઓ આપવામાં આવતા બ્રીજેશભાઇ લાવડીયાએ અંતિમ પગલું ભર્યું હતું અને તેમના આપઘાત મોતના પગલે ઘેરા પડઘા પડ્યા હતા.પોલીસ બેડામાં તથા આહીર સમાજમાં આ બાબતની ભારે ચર્ચાઓ જાગી હતી.

છતાં પણ હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોય અંતે મૃતકના પુત્ર દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કર્યા બાદ મૃતકના પીએમ રિપોર્ટ અને તમામ બાબતોમાં શરીર ઉપર મારના નિશાનો હોય જુનાગઢ પોલીસને કાર્યવાહી કરવા હાઇકોર્ટ દ્રારા આદેશ આપવામાં આવ્યા હતા.અંતે જુનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને પીએસઆઇ ખાચર સામે મૃતક બ્રિજેશભાઈ લાવડીયાને મરવા મજબૂર કરવા સબબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.જેની તપાસ પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીને સોંપવામાં આવેલી છે અને ફરિયાદ થઈ ગયાના ૧૪ દિવસ છતાં પણ હજી સુધી આ બાબતમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી..! મૃતક બ્રિજેશભાઈને માર મારવામાં માટે લાકડીઓ લઈને આવતા-જતા સ્ટાફના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે લેવાયા છે.આ કેસની ગંભીરતાને લઈને હાઇકોર્ટે આ આ કેસનું મોનિટરીંગ પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાને કરવા હુકમ કરેલ છે.પોલીસ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ પોલીસ સ્ટેશન ખાતે બનાવ બન્યાના ૧૪૦ દિવસ સુધી ફરિયાદ નોંધવવામાં આવી ન હતી..! અને બાદમાં હાઇકોર્ટે કરેલ હુકમ બાદ ફરિયાદ નોંધાયાને ૧૪ દિવસ થયા છતાં આ કેસમાં પોલીસ વિભાગ દ્રારા કોઈપણ જાતની આગળ કાર્યવાહી થઈ નથી તે હકીકત છે.ન્યાય મેળવવા માટે પોલીસ પરિવારે જો આટલી જહેમત ઉઠાવવી પડતી હોય તો વિચારો સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે..?






Latest News