મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના હોદા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાઈ


SHARE













મોરબી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના હોદા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાઈ

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી

મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. ત્યારે તમામ સ્થાનિક સ્વરાજની  સંસ્થાઓમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખની સીટના રોટેશન જાહેર કરી દેવામાં આવ્યા છે અને મોરબી જિલ્લા પંચાયત માટે અનુ. જાતિ અનામત હોવાથી ભાજપમાંથી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેધી અને કમળાબેન ચાવડા પ્રમુખની રેસમાં છે તે ઉપરાંત ઉપપ્રમુખ, કારોબારી ચેમમેન, જુદીજુદી સમિતિઓના ચેરમેન, દંડકની પસંદગી કરવામાં આવશે જેથી કરીને સેન્સ લેવા માટે મોરબી જીલ્લામાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરાને જવાબદારી સોપવામાં આવેલ છે તેની સાથે ચંદ્રશેખર દવે, નિમુબેન બાંભણીયા પણ આવેલ છે આવી જ રીતે મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ માટેની સેન્સ લેવામાં આવી છે ત્યારે જિલ્લાના ધારાસભ્યો, પાંચેય તાલુકાના પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિતના ત્યાં હાજર રહ્યા હતા આ સાયન્સ પ્રક્રિયાનું આયોજન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તથા જેઠાભાઇ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું






Latest News