મોરબીના અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ સામાપક્ષેથી વૃદ્ધ દ્વારા ત્રણ શખ્સોની સામે ઘરમાં તોડફોડ કરી નુકસાન કરીને ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભીમસરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા કેશાભાઈ ટપૂભાઈ વાઘેલા જાતે વાલ્મિકી (૬૨)એ ભલાભાઇ નાથાભાઈ ઝાલા, ઝાલાભાઇનો દીકરો ચનો અને સુમલો રહે ત્રણેય મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દીકરા તથા પૌત્રએ આરોપીના ભત્રીજા રવિન્દ્રભાઈને મારામારી કરીને છરી મારી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધોકા લઈને તેના ઘરે આવ્યા હતા અને છૂટા પથ્થરના ઘા કરીને તેમજ ફરિયાદી અને સાહેદોને ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને તેઓને ઈજા થઈ હતી ત્યારે લલિતભાઈને હાથ અને પગમાં ઇજા થઈ હતી તો મંજુબેનને મોઢા ઉપર મૂઢ ઈજા થઈ હતી અને આરોપીઓએ તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી જેથી વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટીમે આ ગુનામાં આરોપી ભલાભાઇ નાથાભાઈ ઝાલા (૪૦), ચંદ્રેશ ઉર્ફે ચનો ભલાભાઇ ઝાલા (૨૦) અને સૂઝલ ઉર્ફે સુમો અતુલભાઈ ઝાલા (૧૮) રહે, ત્રણેય લીલાપર રોડ જેલની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે









