મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE















મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ સામાપક્ષેથી વૃદ્ધ દ્વારા ત્રણ શખ્સોની સામે ઘરમાં તોડફોડ કરી નુકસાન કરીને ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભીમસરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા કેશાભાઈ ટપૂભાઈ વાઘેલા જાતે વાલ્મિકી (૬૨)એ ભલાભાઇ નાથાભાઈ ઝાલાઝાલાભાઇનો દીકરો ચનો અને સુમલો રહે ત્રણેય મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દીકરા તથા પૌત્રએ આરોપીના ભત્રીજા રવિન્દ્રભાઈને મારામારી કરીને છરી મારી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધોકા લઈને તેના ઘરે આવ્યા હતા અને છૂટા પથ્થરના ઘા કરીને તેમજ ફરિયાદી અને સાહેદોને ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને તેઓને ઈજા થઈ હતી ત્યારે લલિતભાઈને હાથ અને પગમાં ઇજા થઈ હતી તો મંજુબેનને મોઢા ઉપર મૂઢ ઈજા થઈ હતી અને આરોપીઓએ તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી જેથી વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટીમે આ ગુનામાં આરોપી ભલાભાઇ નાથાભાઈ ઝાલા (૪૦)ચંદ્રેશ ઉર્ફે ચનો ભલાભાઇ ઝાલા (૨૦) અને સૂઝલ ઉર્ફે સુમો અતુલભાઈ ઝાલા (૧૮) રહે, ત્રણેય લીલાપર રોડ જેલની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News