વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો: બહોળી સંખ્યામાં લોકો જોડાયા


SHARE







મોરબીમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો: બહોળી સંખ્યામાં લોકો જોડાયા

 મોરબીમાં જૈન સમાજ દ્વારા દરવર્ષે યોજાતી રથયાત્રાનો આજે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં જૈન સંઘના ભાઈઓ બહેનો જોડાયા હતા આ રથયાત્રા ધર્મનાથ જૈન બેન્ડ પાર્ટીની સૂરાવલિ સાથે દરબાર ગઢથી શરૂ થઈને નહેરુગેઇટ ચોક, જુના બસ સ્ટેશન રોડ થઈને પ્લોટ દેરાસર ખાતે પહોચી હતી આ રથયાત્રા પન્યાસપૂર્વ દિવ્યયશ વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી સંવેડારત્નશ્રીજીની શુભ નીશ્રામાં કાઢવામાં આવી હતી અને સંઘ પ્રમુખ સહિતના હોદેદારો તેમજ ટ્રસ્ટીગણ સહિત સંઘના તમામ લોકો રથયાત્રામાં હાજર રહ્યા હતા ખાસ કરીને આ રથયાત્રામાં દોશી વનેચંદભાઈ ત્રિભોવનભાઈ પરિવારે સારથી બનવાનો અને પ્રભુજીની પાલખી ઉપાડવાનો લાભ લીધો હતો તથા માતૃશ્રી મધુબેન સેવંતિભાઈ સંઘવી પરિવારે પ્રભુજીને લઈને રથમાં બેસવાનો લાભ લીધેલ હતો આ રથયાત્રાને સફળ બનાવવા માટે કલ્પેશભાઇ ઘોઘાણી, ભાવેશભાઈ શાહ, ભરતભાઇ દોશી, ભાવેશભાઈ દોશી, કિરીટભાઇ સંઘવી તેમજ હોદેદારો અને ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી






Latest News