મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવો કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે


SHARE







મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આગામી તા.૨૪ થી ૩૦ ઓક્ટોબર સુધી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાગવત સપ્તાહમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીના રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને અજયભાઇ વાઘાણી સહિતનાઑ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતાપૂલના સામા છેડે મહાપ્રભુજી બેઠક પાસે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે. આ કથાની પોથીયાત્રા તા ૨૪ ના રોજ બપોરે બે વાગ્યે અગ્નેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે અને દરરોજ બપોરે ૩ થી ૬ સુધી કથા ચાલશે અને કથા માટે કાલે તા.૧૭ ના રોજ સાંજે ૫ થી ૬ જલારામ મંદિર ખાતે મિટિંગ રાખવામા આવી છે જેમાં લોકોને હાજર રહેવા અનુરોધ કરાયો છે. 




Latest News