મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે


SHARE













મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આગામી તા.૨૪ થી ૩૦ ઓક્ટોબર સુધી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાગવત સપ્તાહમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીના રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને અજયભાઇ વાઘાણી સહિતનાઑ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતાપૂલના સામા છેડે મહાપ્રભુજી બેઠક પાસે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે. આ કથાની પોથીયાત્રા તા ૨૪ ના રોજ બપોરે બે વાગ્યે અગ્નેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે અને દરરોજ બપોરે ૩ થી ૬ સુધી કથા ચાલશે અને કથા માટે કાલે તા.૧૭ ના રોજ સાંજે ૫ થી ૬ જલારામ મંદિર ખાતે મિટિંગ રાખવામા આવી છે જેમાં લોકોને હાજર રહેવા અનુરોધ કરાયો છે. 






Latest News