મોરબી જિલ્લાની PMSHRI શાળાના માસ્ટર ટ્રેનર તરીકે દિનેશ વડસોલાની પસંદગી
મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે
મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આગામી તા.૨૪ થી ૩૦ ઓક્ટોબર સુધી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાગવત સપ્તાહમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.
મોરબીના રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને અજયભાઇ વાઘાણી સહિતનાઑ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતાપૂલના સામા છેડે મહાપ્રભુજી બેઠક પાસે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે. આ કથાની પોથીયાત્રા તા ૨૪ ના રોજ બપોરે બે વાગ્યે અગ્નેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે અને દરરોજ બપોરે ૩ થી ૬ સુધી કથા ચાલશે અને કથા માટે કાલે તા.૧૭ ના રોજ સાંજે ૫ થી ૬ જલારામ મંદિર ખાતે મિટિંગ રાખવામા આવી છે જેમાં લોકોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.