વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે


SHARE







મોરબીમાં ઝૂલતા પૂલના દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે

મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આગામી તા.૨૪ થી ૩૦ ઓક્ટોબર સુધી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાગવત સપ્તાહમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીના રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને અજયભાઇ વાઘાણી સહિતનાઑ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતાપૂલના સામા છેડે મહાપ્રભુજી બેઠક પાસે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી તેમજ રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે. આ કથાની પોથીયાત્રા તા ૨૪ ના રોજ બપોરે બે વાગ્યે અગ્નેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે અને દરરોજ બપોરે ૩ થી ૬ સુધી કથા ચાલશે અને કથા માટે કાલે તા.૧૭ ના રોજ સાંજે ૫ થી ૬ જલારામ મંદિર ખાતે મિટિંગ રાખવામા આવી છે જેમાં લોકોને હાજર રહેવા અનુરોધ કરાયો છે. 






Latest News