મોરબીની સંકલ્પ નવરાત્રીમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો-વિકાસ વિદ્યાલયની બાળાઓના હસ્તે આરતી કરાઈ
મોરબીના માધાપરમાં યોજાતી ગરબીનો આજની તારીખે પણ દબદબો
SHARE
મોરબીના માધાપરમાં યોજાતી ગરબીનો આજની તારીખે પણ દબદબો
મોરબીના માધાપર વિસ્તાર માં છેલ્લા ૧૪૧ વર્ષથી માધાપર ગરબી મંડળના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની જકામજોડ વગર આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આ ઉપરાંત આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી આ વિસ્તારમાં જ રેહતા લોકો વાજિંત્ર વગાડે છે અને માતાજીના ગરબા ગાતા હોય છે સાથો સાથ ત્યાં આઠમના દિવસે ખાસ મહાકાળીનો માતાજીનો કાર્યક્રમ યોજાઇ છે જેને જોવા માટે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લોકો મોટી નાખ્યામાં આવે છે અને આ ગરબીમાં ૩૫૦ જેટલી બાળાઓને રાખવામા આવે છે અને તે તમામને દાતાઓના સહકારથી લ્હાણી પણ આપવામાં આવે છે