મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે માળીયા મિયાણામાં જમીન ખરીદનારનો અશતઃ દાવો મંજુર કર્યો


SHARE















મોરબીની કોર્ટે માળીયા મિયાણામાં જમીન ખરીદનારનો અશતઃ દાવો મંજુર કર્યો

માળીયા મીયાણામાં રજીસ્ટર દસ્તાવેજથી વર્ષો પહેલા જમીન અઘાટ વેચાણ રાખલ હતી પરંતુ આ જમીન ખરીદનારના નામે રેવન્યુ દફતરે ચઢેલ ન હતી જેથી કરીને જમીનના મૂળ માલિકના વારસદારોએ જમીન વેચવા માટેની હિલચાલ શરૂ કરી હતી જેની સામે મોરબીની કોર્ટમા દિવાની દાવો દાખલ કરી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમની માગણી કરેલ છે જે દાવો અશતઃ મંજુર કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે

આ કેશની હકીકત એવી છે કેઅવસાન પામેલ મોવર અલારખા દુજાના વારસો મોવર ઇસ્માઇલ અલારખા વિગેરેનાએ તેમના પિતા મોવર અલારખા દુજાએ માળીયા મીયાણાના સર્વે નં-૮૭૦ તથા ૮૭૧ની જમીન આશરે ૩૦ વિઘા સને-૧૯૫૮ની સાલમા પ્રતિવાદીઓના પિતા અવસાન પામેલ જામ હિરા કેશર પાસેથી રજીસ્ટર દસ્તાવેજથી અઘાટ વેચાણ રાખલ હતી પરંતુ આ જમીન ખરીદનારના નામે રેવન્યુ દફતરે ચઢેલ ન હોય. તેનો ગેરલાભ લઇ પ્રતિવાદીઓએ આ જમીન વેચાણ કરવા તજવિજ હાથ ધરતા વાદી અવસાન પામેલ મોવર અલારખા દુજાના વારસોએ પ્રતિવાદીઓ અવસાન પામેલ જામ હિરા કેશરના વારસો સામે મોરબીની કોર્ટમા દિવાની દાવો દાખલ કરી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમની માગણી કરેલ છે આ દાવો મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદીની જુબાની વાદીએ રજુ રાખેલ પુરવાઓ ધ્યાને લઇ વાદીના વકીલ બી.બી. હડીયલ દ્વારા રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તથા રજુઆત માન્ય રાખી વાદીનો દાવો અશતઃ મંજુર કરતો હુકમ તા.૨૧/૧૦ ના રોજ કર્યો છે






Latest News