પગારના બદલે પગરખું: મોરબીના ચકચારી કેસમાં એક શખ્સની ધરપકડ, રાણીબા સહિતનાઓની શોધખોળ
મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
SHARE
મોરબી સબજેલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી
ભારતના બંધારણને ૨૬ મી નવેમ્બર ૧૯૪૯ ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલના તમામ કેદીઓ સાથે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ ડી. વડસોલા દ્વારા સૌથી મોટા લોકશાહી દેશના સૌથી મોટા બંધારણની સમજ આપતા જણાવ્યું કે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે નીતિ નિયમ કાયદાઓની જરૂર હોય છે,એમ આવડો મોટો દેશ ચલાવવા માટે કાયદાની જરૂર હોય છે, નીતિ નિયમોની જરૂર હોય છે,એ કાયદો એ નીતિ નિયમ એટલે આપણું બંધારણ.જુલાઈ-૧૯૪૬ માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી આ સભાની સભ્ય સંખ્યા ૩૮૯ હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે જુદી જુદી ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી હતી. અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો પાછળથી ઈ.સ.૧૯૭૬ માં સુધારા કરવામાં આવ્યા અને હાલ બંધારણમાં કુલ ૨૫ ભાગો, ૧૨ અનુસૂચિ અને ૪૬૫ અનુચ્છેદ છે તેવું જણાવ્યુ હતુ