ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ


SHARE











મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ

મોરબી જીલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લા કક્ષાની ચિંતન શિબિરનું નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેની માહિતી આપતા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા બેચુભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ લાલુભા ઝાલાએ જણાવ્યુ છે કે, સૌ પ્રથમ કોરોનામાં અવસાન પામેલા રાજપૂત સમાજના લોકોને મૌન પાળીને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહજી જાડેજાએ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તા નિર્માણ તથા ઐતિહાસિક માહિતી આપી હતી. તો પી. ટી. જાડેજાએ સમાજ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અને રંગપના મહેન્દ્રસિંહજી ઝાલા દ્વારા સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને મહિલા સંઘના અધ્યક્ષ જયશ્રીબા ઝાલા અને ગુજરાત મહિલા સંઘના અધ્યક્ષ દશરથબા પરમારે રાજપૂત સમાજના મહિલાઓની વર્તમાન સમસ્યા અને તેના સમાજ દ્વારા ઉકેલની જાણકારી આપી હતી અને અંતે આભાર જે.એમ. જાડેજાએ વ્યક્ત કર્યો હતો






Latest News