મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ


SHARE











મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ

મોરબી જીલ્લામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લા કક્ષાની ચિંતન શિબિરનું નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેની માહિતી આપતા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ નિરૂભા બેચુભા ઝાલા, મહામંત્રી જયેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ લાલુભા ઝાલાએ જણાવ્યુ છે કે, સૌ પ્રથમ કોરોનામાં અવસાન પામેલા રાજપૂત સમાજના લોકોને મૌન પાળીને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહજી જાડેજાએ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તા નિર્માણ તથા ઐતિહાસિક માહિતી આપી હતી. તો પી. ટી. જાડેજાએ સમાજ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. અને રંગપના મહેન્દ્રસિંહજી ઝાલા દ્વારા સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને મહિલા સંઘના અધ્યક્ષ જયશ્રીબા ઝાલા અને ગુજરાત મહિલા સંઘના અધ્યક્ષ દશરથબા પરમારે રાજપૂત સમાજના મહિલાઓની વર્તમાન સમસ્યા અને તેના સમાજ દ્વારા ઉકેલની જાણકારી આપી હતી અને અંતે આભાર જે.એમ. જાડેજાએ વ્યક્ત કર્યો હતો






Latest News