મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ


SHARE















મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર રહેતા પરિવારનો બાળક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે બાઈક ચાલકની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ઇજાઓ થઈ હતી અને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બાળકનું મોત નીપજ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર ઝીલટોપ સીરામીક નજીકના સુદીપ ગોડાઉન નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારનો મનીષ કરશનભાઈ જાડેજા જાતે ડફેર નામનો નવ વર્ષનો બાળક ગત તા.૪/૧૨ ના રોજ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો દરમિયાનમાં બાઈક નંબર જીજે ૩૬ એજી ૦૭૭૮ ના ચાલકે હડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ મનીષ જાડેજાને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે બાળકનું સારવારમાં મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પરિવારજને નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પીએસઆઈ બી.એન. બગડા અને રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા દ્વારા આરોપી વિશાલ ગજુભાઈ સાતોલા જાતે કોળી (૧૯) રહે. ઈંદિરાનગર મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે

યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક આવેલ મયુર સોસાયટીમાં રહેતી પૂજાબેન અજયભાઈ મકવાણા નામની ૨૭ વર્ષીય યુવતી કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તેઓની માતા જશોદાબેન તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા કયા કારણસર ઉપરોક્ત બનાવ બન્યો છે તે દિશામાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

બાઈક અકસ્માત
મોરબીના સામાકાંઠે આવેલ જનકલ્યાણનગર વિસ્તારમાં રહેતા જયદીપ અનિલભાઈ ફુલતરીયા જાતે વ્યાસ (ઉંમર ૩૨) નામના યુવાનને ઘરેથી સીટીમાં જતા સમયે મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારમાંથી બાઈક લઈને જતા સમયે બાઇક સાથે કૂતરું અથડાવવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા બનાવ સંદર્ભે નોંધ કરીને સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી.






Latest News