મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE















મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે અને સગીરને તેના પરિવારજનને સોપવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ. વાળા દ્વારા ગણતરીના દિવસોમાં સગીરાનુ અપહરણ કરીને સગીરાને લઈને એમપી ચાલ્યા ગયેલા આરોપી રાહુલ જયંતીભાઈ જોલાપરા જાતે કોળી (૨૧) રહે. નવા જાંબુડીયા શક્તિપરા દશામાના મંદિર પાસે તાલુકો જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને સગીરાને પરિવારજનોને સોંપી હતી હાલ આરોપીને જેલ હવાલે કરાયો હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

ખારચિયા ગામે અકસ્માત

મોરબીના ખારચિયા ગામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવવામાં માળીયા મિંયાણાના દહીસરા ગામના રહેવાસી પ્રવીણભાઈ મકનભાઈ કાવર (ઉમર ૬૨) તેમજ શૈલેષ વાલજીભાઈ કાવર (ઉમર ૪૦) નામના બે લોકોને ઇજાઓ થવાથી મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.

વરાળમાં દાજી જતા બે મજૂર સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે આવેલ ઓલ્વીન ટાઇલ્સ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સંજયભાઈ દાસ (ઉમર ૩૪) અને દિનેશભાઈ તુલસીરામ (ઉમર ૨૧) નામના બે મજૂર યુવાનો કારખાનામાં કામ કરી રહ્યા હતા. દરમિયાનમાં ગરમ કોલસાની વરાળ લાગી જતા દાઝી જવાથી બંનેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ કરી હતી.






Latest News