રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ કાલે મોરબી જિલ્લામાં
SHARE
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ કાલે મોરબી જિલ્લામાં
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ૪ જાન્યુઆરીએ મોરબીના પ્રવાસે આવનાર છે. ત્યારે જુદાજુદા પ્રશ્નોની ચર્ચા કરશે અને થીકરીયાળા ગામમાં નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કરશે
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા બપોરે ૧૨ વાગ્યે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે શ્રી ખોડીયાર મંદીરની મુલાકાત લેશે. ત્યારબાદ ૧૫.૦૦ કલાકે વાંકાનેર તાલુકાના થીકરીયાળા ગામમાં થીકરીયાળા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે