મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં વૃદ્ધને હડફેટે લઈને તેનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ


SHARE















મોરબી નજીક કારખાનામાં વૃદ્ધને હડફેટે લઈને તેનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ

મોરબી નજીક આવેલ સીરામીક કારખાનામાં માટી વિભાગમાં લોડરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું જેથી ચાલીને પાછળથી પસાર થઈ રહેલા વૃદ્ધ લોડરના ચાલકે હેડફેટે લીધા હતા અને તેના શરીર ઉપરથી લોડરના ટાયર ફેરવી દીધા હતા જેથી વૃદ્ધનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે પ્લોટ વિસ્તારમાં નવા બાલમંદિર પાસે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગણજા જાતે પટેલ (૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર નંબર જીજે ૩૬ એસ ૧૦૫૭ ના ચાલક સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સનગ્લોઝ સિરામિક કારખાનાના માટી વિભાગમાં તેઓના પિતા પ્રેમજીભાઈ રતુભાઈ ઓગણજા જાતે પટેલ (૬૫) ચાલીને જઈ રહયા હતા ત્યારે લોડર ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતા સમયે તેઓના પિતાને હડફેટે લીધા હતા જેથી પ્રેમજીભાઈના શરીર ઉપરથી લોડરના વ્હીલ ફરી જતા તેનું મોત નીપજયું હતું આ આ બનાવમાં મૃતકના દીકરાની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી નટવર બુદ્ધભાઈ ઝાલા (૩૯) રહે. લક્ષ્મી સોસાયટી કુબેર ટોકીઝ પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા ઈમરાનભાઈ અલ્લારખાભાઈ ઢુસા (૨૦) અને અલારખાભાઈ જૂસબભાઈ ઢુસા (૫૦) ને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ અશોકભાઈ સારદીયા ચલાવી રહ્યા છે






Latest News